Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં એક હાર્ટ સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટરને જ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. જામનગરમાં અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરનું જ હૃદયરોગના હુમલાથી મોત થયું છે. ડોક્ટરના નિધનથી સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા છે. કેમ કે જે ડોક્ટર લોકોને હૃદય સ્વસ્થ રાખવા માટે સલાહ-સૂચનો અને સારવાર કરતાં હતા તે ડોક્ટરનું જ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. આ મામલે વધુ તબીબી તપાસ બાદ ડોક્ટરને હાર્ટ એટેક ક્યાં કારણોસર આવ્યો તેની જાણ થશે. હાલ યુવાન ડોક્ટરના નિધનથી સમગ્ર જામનગર પંથક અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિગતે વાત કરીએ તો મૃતક ડો. ગૌરવ ગાંધી માત્ર જામનગર કે ગુજરાત જ નહીં પરંતુ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ પ્રાપ્ત હૃદયરોગના ડોક્ટર હતા. ડોક્ટરનું નિધન તબીબી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડો. ગૌરવ ગાંધી પોતાના ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને હૃદયનો હુમલો આવતા નિધન થયું છે. ડોક્ટર પોતે લોકોને હૃદયની તકલીફથી બચવા માટે શું કરવું જોઈએ અને કેવી કાળજી રાખવી જોઈએ તેની સલાહ આપતા હતા એવામાં કોઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે તેમને પણ હૃદયરોગનો હુમલો આવશે.
ડોક્ટર ગૌરવ ગાંધીના નિધનથી પરિવારને પણ મોટો આઘાત લાગ્યો છે. તેમના નિવાસસ્થાન પર સગા-સંબંધીઓ તથા તેમની સાથે કામ કરનારા ડોક્ટર મિત્રો પણ પહોંચી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
