Team Chabuk-Gujarat-Desk: જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આવેલા મોરારદાસ ખંભાળિયા ગામમાં એક દુખાંત ઘટના સર્જાય છે. અહીં સૌ પહેલા તો એવું લાગ્યું કે છોકરાઓ કૂવામાં પડી ગયા છે પણ બાદમાં જ્યારે રેસક્યુ કરવામાં આવ્યું ત્યારે આસપાસના લોકો ચોંકી ગયા હતા, કારણ કે ત્રણ સંતાનોની માતા પણ કૂવામાં પડી ગઈ હતી. મેસૂડી બહેન નામની આ પરપ્રાંતિય મહિલા તો બચી ગઈ પણ તેના ત્રણે સંતાનો ન બચી શક્યા. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોરારદાસ ખંભાળિયા ગામે રાસંગભાઈની વાડીમાં નરેશભાઈ ભૂરિયાના ત્રણ બાળકો કૂવામાં પડી ગયા હતા. જેથી તેમને બહાર કાઢવા માટે નાસભાગ મચી ગઈ હતી. થોડીવારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કોઈએ ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં પંચકોશીની એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે આવી પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.
વિગત એવી બહાર આવી હતી કે નરેશભાઈના પત્ની મેસૂડીબહેને પહેલા પોતાના ત્રણ સંતાનોને કૂવામાં ધકેલી દીધા હતા અને બાદમાં તે પણ કૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં મેસૂડી બહેનને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવતા તેમણે બાળકો રમત રમતમાં પડી ગયાની વાત સામે રાખી હતી. જોકે પોલીસે વધારે પૂછતાછ કરતાં કોઈ અલગ જ કારણ સામે આવ્યું હતું.
પોલીસે પંચનામા સહિતની કામગીરી કરી ત્રણે બાળકોની ડેડબોડીને પોસમોર્ટમ માટે ખસેડી હતી. જોકે માતાએ શા કારણે પોતાની ત્રણે સંતાનોને કૂવામાં ધકેલી દઈ પોતે પણ પડી ગઈ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- મયૂર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર
- ઑફિસમાં બેસી બેસીને કમરનો સોથ બોલી જાય છે તો કરો આ એક આસન… આસન એક ફાયદા અનેક….
- કાદલન : ઉર્વશી ઉર્વશી ગીતમાં વપરાયેલી ભવ્ય બસને એનાં જ દિગ્દર્શક શંકરે શા માટે બ્લાસ્ટ કરાવી?
- બ્રહ્મયુગમનું ગેટઆઉટ – હેલહોલ – તુમ્બાડ – પોતાનાપણું
- “ગુજરાતી સાહિત્યે મ્હારા પર એટલો બધો મહાન ઉપકાર કર્યો છે કે હું જાહેરખબરો જ લખું છું…”: બકુલેશ