Team Chabuk-Gujarat-Desk: જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આવેલા મોરારદાસ ખંભાળિયા ગામમાં એક દુખાંત ઘટના સર્જાય છે. અહીં સૌ પહેલા તો એવું લાગ્યું કે છોકરાઓ કૂવામાં પડી ગયા છે પણ બાદમાં જ્યારે રેસક્યુ કરવામાં આવ્યું ત્યારે આસપાસના લોકો ચોંકી ગયા હતા, કારણ કે ત્રણ સંતાનોની માતા પણ કૂવામાં પડી ગઈ હતી. મેસૂડી બહેન નામની આ પરપ્રાંતિય મહિલા તો બચી ગઈ પણ તેના ત્રણે સંતાનો ન બચી શક્યા. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોરારદાસ ખંભાળિયા ગામે રાસંગભાઈની વાડીમાં નરેશભાઈ ભૂરિયાના ત્રણ બાળકો કૂવામાં પડી ગયા હતા. જેથી તેમને બહાર કાઢવા માટે નાસભાગ મચી ગઈ હતી. થોડીવારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કોઈએ ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં પંચકોશીની એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે આવી પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.
વિગત એવી બહાર આવી હતી કે નરેશભાઈના પત્ની મેસૂડીબહેને પહેલા પોતાના ત્રણ સંતાનોને કૂવામાં ધકેલી દીધા હતા અને બાદમાં તે પણ કૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં મેસૂડી બહેનને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવતા તેમણે બાળકો રમત રમતમાં પડી ગયાની વાત સામે રાખી હતી. જોકે પોલીસે વધારે પૂછતાછ કરતાં કોઈ અલગ જ કારણ સામે આવ્યું હતું.
પોલીસે પંચનામા સહિતની કામગીરી કરી ત્રણે બાળકોની ડેડબોડીને પોસમોર્ટમ માટે ખસેડી હતી. જોકે માતાએ શા કારણે પોતાની ત્રણે સંતાનોને કૂવામાં ધકેલી દઈ પોતે પણ પડી ગઈ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત