Homeગુર્જર નગરીજામનગર: બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ, જાણો રામધૂનની...

જામનગર: બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ, જાણો રામધૂનની શરૂઆત કોણે કરી ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં આવેલા બાલા હનુમાનજીના મંદિરે અખંડ રામધુન માટે જાણીતું છે. બાલા હનુમાનજી મંદિરમાં આજે તા.30 જાન્યુઆરીના રોજ અખંડ રામધૂનના 21 હજાર દિવસ પૂર્ણ કર્યા છે. બાલા હનુમાન મંદિર કેમ જાણીતું બન્યું ચાલો જાણીએ.

કોણે અખંડ રામધૂન શરૂ કરી?

જામનગર શહેરના મધ્યમાં આવેલા રણમલ તળાવના કિનારે બાલા હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરમાં પ્રેમ ભિક્ષુજી મહારાજે ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ ના નાદ સાથે અખંડ રામધુનની શરૂઆત કરાવી હતી. 

ક્યારેથી શરૂ થઈ અખંડ રામધુન?

બલા હનુમાનજી મંદિરમાં 1 ઓગષ્ટ, 1964ના રોજ અખંડ રામધુનની શરૂઆત કરાઈ હતી. રામધુનની શરૂઆતને આજે 21 હજાર દિવસ પૂર્ણ થયા છે.  

ગીનીસ બુકે પણ નોંધ લીધી 

જામનગરના બાલા હનુમાનજી મંદિરમાં ખાતે અવિરત ચાલતી અખંડ રામધુનને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ગમે તેવી ઋતુ હોય, ભુકંપ, પુર, વાવાઝોડા જેવી આફતોમાં પણ હનુમાનજીના ભક્તોએ રામધુનને અવિરત રીતે ચાલુ રાખી છે. આ મંદિરની વિશિષ્ટ પ્રવૃત્તિઓને લીધે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આ મંદિરનો ગૌરવભેર ઉલ્લેખ થયો છે.

અન્ય સ્થાને પણ શરૂ કરવી રામધૂન

પ્રેમ ભિક્ષુ મહારાજશ્રીએ સમગ્ર ગુજરાતમાં સંકીર્તન મહાયજ્ઞો કર્યા હતા. જેના પ્રતાપથી જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને મહુવામાં અખંડ નામ સંકીર્તન ચાલે છે.  પ્રેમ ભિક્ષુજી મહારાજે જામનગરને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી તેમણે સમગ્ર ગુજરાતમાં રામનામનો પ્રચાર કર્યો. 

કેટલા રામ મંત્રો ગવાયા હશે?

બાલા હનુમાનજી મંદિરમાં કેટલા રામ નામ બોલાયા હશે તેનો અંદાજ જાણકારોએ કાઢ્યો છે. સામાન્ય રીતે એક મિનિટમાં ર૦ થી રપ મંત્રોનું ગાન થાય છે. આપણે ઓછામાં ઓછા ર૦ મંત્રો ગણીએ તો એક કલાકમાં ૬૦૦ મંત્રો ગવાય. એક દિવસમાં ર૪ કલાક ×૬૦૦ = ૧૪,૪૦૦ મંત્ર થાય. આ હિસાબે એકવીસ હજાર દિવસમાં 30.24 કરોડ મંત્રો ગવાયા હોય

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments