Homeગુર્જર નગરીજૂનાગઢ: માંગરોળ સબ જેલમાં કોરોના વિસ્ફોટ, કેદીઓમાં ફફડાટ

જૂનાગઢ: માંગરોળ સબ જેલમાં કોરોના વિસ્ફોટ, કેદીઓમાં ફફડાટ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતને હાલ કોરોના વાયરસને જાણે બાનમાં લીધું હોય તેમ લાગી રહ્યું છે. મહાનગરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ હવે જેલ સુધી પણ પહોંચી ગયું છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ શહેરની સબ જેલમાં એક સાથે 14 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 14 કેદીઓ કોરોના સંક્રમિત થતાં જેલના અન્ય કેદીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કેદીઓ પોઝિટિવ આવતા જેલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

જેલના કુલ 14 કેદીઓમાંથી એક કેદીને જામીન મળતા તેને પોતાના ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન કરાયો છે. જ્યારે અન્ય 13 કેદીઓને કુલ 7 જેટલી એબ્યુલન્સની મદદથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

માંગરોળ જેલની સબ જેલના એક અધિકારીએ જણાવ્યું કે, માંગરોળ જેલમાં કુલ 29 કેદીઓ કેદ છે. જેમાંથી એક કેદીની તબિયત લથડતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. સાથે જ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કેદીનો કોરોના ટેસ્ટ પણ કરાવાયો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કેદીઓના રિપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું. આમ, કુલ 29 કેદીઓમાંથી કુલ 14 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ માંગરોળ જેલના જેલરે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ કોરોના સંક્રમિત કેદીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા લઈ જવાયા છે.

જેલમાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે કેદીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. કેદીઓને હોસ્પિટલમાં રિફર કરવા માટે માંગરોળ મામલતદાર, DySP, PSI સોલંકી તેમજ માંગરોળ સબ જેલના જેલર એ.બી.મેવાડા સહિતનો સ્ટાફ કામે લાગ્યો હતો.

જૂનાગઢના કોરનાના છેલ્લા 10 દિવસના આંકડા
તારીખ               કુલ કેસ   સાજા થયા     
12 એપ્રિલ 2021     87        15            
11 એપ્રિલ 2021      83        27
10 એપ્રિલ 2021     93        30
09 એપ્રિલ 2021     89        17
08 એપ્રિલ 2021     77        15
07 એપ્રિલ 2021     43        17
06 એપ્રિલ 2021     37        20

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments