Team Chabuk-Gujarat Desk: સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક નશામાં ધૂત પરપ્રાંતીય યુવકે પાણીની જગ્યાએ એસીડ પી લીધુ જેના કારણે તેનું નશામાં જ મોત થયું. મૃતક યુવકનું નામ જિતેન્દ્ર જેના છે જે પાંડેસરા વિસ્તારમાં સંચા કારીગર હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તે ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો અને ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો.
જિતેન્દ્ર જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પિતાના નિધન બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. એટલું જ નહીં દુઃખની વાત એ છ કે, આવતા મહિને જ તેની બહેનના લગ્ન લેવાની તૈયારી પણ ચાલી થઈ હતી.

જિતેન્દ્ર જેના સાથે રહેતા તેના રૂમ પાર્ટનરે આ અંગે જણાવ્યું હતું કે, જીતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું, મેં એસિડ પી લીધું છે, એટલે તમામ રૂમ પાર્ટનર ચોંકી ગયા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત