Homeગુર્જર નગરીગીર સોમનાથઃ પાકિસ્તાની જેલમાં ઊનાના વાસોજના માછીમારનું મોત, 2018માં થયું હતું અપહરણ

ગીર સોમનાથઃ પાકિસ્તાની જેલમાં ઊનાના વાસોજના માછીમારનું મોત, 2018માં થયું હતું અપહરણ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના વધુ એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં નિધન થયું છે. જિલ્લાના ઊના તાલુકાના વાસોજ ગામના માછીમાર નાનુભાઈ રામભાઈ કામળિયાએ પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો હોવાની માહિતી સામે આવતા જ તેમના પરિવારમાં શોકનો મહોલ છે.

ગત 3 ફેબ્રુઆરીએ શ્વાસની તકલીફનાં કારણે નાનુભાઈની તબિયત લથડી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વેરાવળની રાજકમલ નામની બોટમાં વર્ષ-2018માં નાનુભાઈ કામળિયા માછીમારી કરવા ગયા હતા અને ભારતીય જળ સીમામાંથી પાક મરીન દ્વારા અપહરણ કરાયા બાદ પાક જેલમાં બંધ કરાયા હતા. ગત 3 ફેબ્રુઆરી નાનુભાઈનું બિમારી સબબ મોત થયું હતું. આ માછીમારનાં મોત અંગે સરકારે પરિવારને અજાણ રાખ્યો હોવાનો આક્ષેપ મૃતકનાં ભત્રીજા ગોવિંદભાઈએ કર્યો છે.

માછીમારના પરિવારનો દાવો છે કે, પરિવારને જેલમાં રહેલા અન્ય માછીમારોએ પત્ર લખતા જાણ થઈ હતી. હજુ સુધી સરકારે મૃતક માછીમારનાં પરિવારનો સંપર્ક કર્યો નથી. પરિવારની માગણી છે કે, વહેલીતકે મૃતદેહ વતન પહોંચાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના જેન્તી સોલંકી નામના એક માછીમારનું પણ પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું. ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ સૂત્રાપાડા પહોંચાડાયો હતો. ત્રણ વર્ષ પહેલા તેમનું અપહરણ થયું હતું. આ પરિવારે પણ આરોપ લગાવ્યો હતો કે, મહિના પહેલાં જેન્તીભાઈનું મોત થયું હતું. મૃતદેહ વતન લાવવા માટે પરિવારને ફિસરિઝ વિભાગના અનેક ધક્કા ખાવા પડ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments