Team Chabuk-Gujarat Desk: સુરતના બારડોલીમાં રિક્ષાને અકસ્માત નડ્યો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.
મળતી માહિતી મુજબ મોડી સાંજે કડોદરાથી બારડોલી આવતી રિક્ષા ખાન પોઇન્ટ નજીકના માર્ગ પર પહોંચી હતી. ત્યારે જ અચાનક રિક્ષા આગળ શ્વાન આવી જતા ડ્રાઈવરે તેને બચાવવાની કોશિશ કરી. જેમાં રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રિક્ષા પલટી ગઈ. દુર્ઘટનામાં રિક્ષામાં સવાર આધેડ વયના પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે રિક્ષાચાલકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હતો.
રિક્ષામાં બેઠેલા અન્ય બે સવારને પણ પગના ભાગમાં ઇજાઓ થતાં સારવાર હેઠળ છે. કડોદરાથી બારડોલી આવી રહેલી એક રિક્ષા નંબર જીજે ૦૫ બી ડબલ્યુ ૪૦૧૫ બારડોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખાન પોઇન્ટ નજીકથી પસાર થતા, રસ્તામાં અચાનક શ્વાન આવી જતા, અચાનક રિક્ષા પલટી હતી. જેમાં ચાલક સહિત અન્ય ત્રણ મુસાફરોમાં વખતસિંહ દયાસિંઘ સોલંકી (72 )રહે. હુડકો સોસાયટી બારડોલીનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે અન્ય મુસાફરો પૈકીના ત્રીકમભાઈ સરાજીયાભાઈ ગામીત ( રહે. રાનવેરી, વાલોડ) તથા દિક્ષિતા વિજયભાઈ સુરતી(.25 ) રહે. તરસાડા, માંડવી મળી બંનેને પગમાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત