Homeગુર્જર નગરીMahisagar Accident: જાનૈયા ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો, ખુશીનો માહોલમા માતમમાં ફેરવાયો, 8ના...

Mahisagar Accident: જાનૈયા ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો, ખુશીનો માહોલમા માતમમાં ફેરવાયો, 8ના મોત

Team Chabuk-Gujarat Desk: લુણાવાડામાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. જેમાં કુલ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 22થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન માણવા માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો.

લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જઇ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે.

અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. જોકે, અચાનક બનેલી આ ઘટનામાં મોતને કારણે પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments