Homeગુર્જર નગરીમોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોના મોત

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોના મોત

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં ગઈકાલે સાંજે ઘટેલી દુર્ઘટનાથી સમગ્ર દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ઝૂલતો પુલ તૂટતા અનેકની જિંદગી ઓલવાઈ ગઈ છે. દિવાળીના પર્વની ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 140થી વધુ લોકોના મોત નિપજી ચુક્યા છે તો અનેક લોકો હાલ સારવાર હેઠળ મોત સામે જજુમી રહ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી છે.

મળતી વિગતો પ્રમાણે સાંસદ મોહન કુંડારિયાના સગા બહેનના જેઠની ચાર દીકરી, ચાર જમાઈ અને બાળકો સહીત 12 લોકોના આ દુર્ઘટનામાં કરુણ મોત થયા છે. મોહન કુંડારિયાના બહેનના જેઠની ચાર દીકરીઓ અને જમાઈ રવિવારની રજા હોવાથી બાળકો સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં તેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે અને 12 લોકોના મોત નિપજ્યા છે. ચાર દીકરી અને ચાર જમાઈ સાથે બાળકોના પણ મોત નિપજતાં પરિવાર પર જાણે દુઃખનું આભ તૂટી પડ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments