Team Chabuk-Gujarat Desk: મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક પરિવારોમાં રોકકળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કરુણાંતિકા એવી સર્જાઈ છે કે ઘણા કિસ્સામાં બાળકનો બચાવ થયો છે અને માતા-પિતાના મોત નિપજ્યા છે. આવી જ એક કરુણાંતિકા સર્જાઈ છે હળવદના પરિવાર સાથે. મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા પતિ પત્નીનું ઝૂલતો પુલ તૂટી પડવાના કારણે મોત નીપજ્યું છે જ્યારે તેઓના એક ચાર વર્ષના બાળકનો કુદરતી આબાદ બચાવ થયો છે. દુર્ઘટનાના કારણે ચાર વર્ષના દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ મોરબીમાં બનેલી આ ગોઝારી દુર્ઘટનાને પગલે હળવદ આજે બપોર બાદ સંપૂર્ણ બંધ રહેશે.
હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અને મોરબીમાં સીએ તરીકે કામ કરતા હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ અને તેમના પત્ની મીરલબેન હાર્દિકભાઈ ફળદુ તેમજ તેમનો ચાર વર્ષનો દીકરો જીયાન્સ તેમજ હાર્દિકભાઈના માસાનો પરિવાર ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. આ વખતે પુલ તૂટી પડવાને કારણે હાર્દિકભાઈ તેમજ તેમના ધર્મ પત્ની મીરલબેનનું મોત નીપજ્યું છે. જ્યારે હાર્દિકભાઈના માસાના દિકરા હર્ષભાઈ ઝાલાવાડીયા રહે. રાજકોટને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યારે હર્ષભાઈના પત્ની મીરાબેનનું મોત નીપજ્યું છે અને હાર્દિકભાઈના દીકરા જીયાન્સનો બચાવ થયો છે.
મોરબીમાં બનેલ દુર્ઘટનાને પગલે આજે સોમવારે હળવદ શહેર બપોર બાદ સંપૂર્ણ બંધ રહેશે તેમ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
