Team Chabuk-National Desk: તિરુપતિમાં 50 વર્ષિય મહિલાએ પોતાના જ પતિની હત્યા કરી નાંખી. આરોપી વસુંધરાએ તેનાં 53 વર્ષનાં પતિ રવિચંદરની પહેલાં ચપ્પુ મારીને હત્યા કરી નાંખી. એટલું જ નહીં આ બાદ તે રવિચંદરકનું કાપેલું માથુ લઇ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી અને આત્મસમર્પણ કરી લીધુ.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 50 વર્ષિય મહિલાએ બેવફાઇની શંકામાં તેનાં પતિની હત્યા કરી નાંખી છે. આરોપી વસુંધરાએ તેનાં 53 વર્ષિય પતિને પહોલાં ચપ્પુના ઘા ઝીંક્યા અને તેના મોત બાદ તેનું માથુ ધડથી અલગ કરી દીધુ. ત્યારબાદ પોતાના પતિના માથાને એક બેગમાં ભર્યું અને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ.
25 વર્ષ પહેલાં આરોપી વસુંધરાના લગ્ન બિઝનેસમેન રવિચંદર સાથે થયા હતાં તેમને એક 20 વર્ષનો દીકરો છે. લગ્ન બાદથી તેરેનીગુંટાનાં બુગ્ગા સ્ટ્રીટમાં રહેતા હતાં. તેમનું વૈવાહિક લગ્ન જીવન અત્યાર સુધી સારુ ચાલતું હતું. પણ અચાનક તે બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર, સવારે વસુંધરાએ રવિચંદરને આડેધડ ચપ્પા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વસુંધરા તેનું માથુ કાપીને પોલીસ સ્ટેશન લઇને પહોંચી હતી. વસુંધરા એક ઓટોમાં પ્લાસ્ટિકની થેલીમાં તેનાં પતિનું માથુ લઇને આવી હતી.
પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસને હત્યા પાછળનું સંપૂર્ણ કારણ જાળવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વસુંધરાને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય સ્ત્રી સાથે લફરૂ છે આ બાબતે જ બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત