Team Chabuk-Gujarat Desk: વાંસદા તાલુકાના રવાણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. નવસારીમાં ત્રિપલ મર્ડરની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નવસારીના રવાણીયા ગામમાં એક પુરુષે પોતાની બે પુત્રીઓ અને પત્નીની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હત્યા અને આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
રવાણિયા ગામે એક દંપતિએ પોતાની બે માસુમ બાળાઓ સાથે આત્મહત્યા કરી છે. 7 વર્ષ અને 4 માસની બે માસૂમ બાળાને મોતને ઘાટ ઉતારી કથિત રીતે ઘરના 3 સભ્યોનું મર્ડર કરી મોભીએ અંતે આત્મહત્યા કરી છે. સમગ્ર ઘટનામાં પતિનું લગ્નેતર સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વાંસદા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત