Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરી ત્યાંની જનતાને ચકાચૌંધ કર્યાં બાદ આવનારા વર્ષે ગુજરાતની ચૂંટણી પૂર્વે ભાજપ સરકાર એક બાદ એક ઉત્સવ કરવા લાગી છે. ઉત્સવમાં મોટા નેતાઓની હાજરી વચ્ચે મનેખ ઉમટી પડે છે. ગઈકાલે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કુલ 9 કેસ ગુજરાતમાં નોંધાયા. જેમાં મહેસાણા અને આણંદ જિલ્લામાં બે-બે કેસ જ્યારે મહાનગર અમદાવાદમાં એક સાથે પાંચ કેસે દેખા દીધી છે. બ્રિટનમાં ગઈકાલના એક લાખ કેસ સામે આવ્યા છે. આવી જ કમકમાટીભરી સ્થિતિ ફ્રાન્સની પણ છે. ખતરાની ઘંટી જોરથી વાગી રહી છે અને ઉત્સવપ્રિય સરકાર ઉત્સવમાં લાગી છે.
ગઈકાલે આઈઆઈટી દ્વારા અભ્યાસ તારવવામાં આવ્યો હતો કે આગામી સમયમાં ધ્યાન રાખવું પડશે. ત્રીજી લહેર ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે. એ સમયે દેશમાં એક જ દિવસમાં દોઢ લાખ કેસ હશે. આ માટે નિષ્ણાતોએ એક સૂરમાં કહ્યું છે કે ભીડ એકત્રિત કરવાની નથી. જોકે ગુજરાત સરકાર આગામી દિવસમાં નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે. 26મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવનારા નદી ઉત્સવમાં સુરતની તાપી નદી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
બીજી તરફ અમદાવાદમાં સાબરમતી, ભરૂચ અને ગરુડેશ્વરમાં નર્મદા નદી પર મહાઆરતી યોજવામાં આવશે. આ ઉજવણીઓની સાથે મેરેથોન, સંવાદ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. શહેરો તથા જિલ્લાઓમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે અહીં શું કરવું અને શું ન કરવુંની સ્થિતિ ઊભી થઈ છે. એક બાજુ સરકાર પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ વડાને સંક્રમણ ન વધે અને કરફ્યૂનું કડકમાં કડક પાલન થાય તે અંગે કહી રહી છે. તો બીજી તરફ પોતે જ રંગેચંગે એવા કાર્યક્રમ કરી રહી છે જેનાથી ભીડ ભેગી થાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
