Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના ચુડાના ભૃગુપુરમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત, છરીના આડેધડ ઘા ઝીંકાયા

સુરેન્દ્રનગરના ચુડાના ભૃગુપુરમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત, છરીના આડેધડ ઘા ઝીંકાયા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે. આમ આ જૂથ અથડામણ હત્યામાં પરિણમી છે.

મળતી વિગતો પ્રમાણે ચુડા તાલુકાના ભૃગુપુર ગામે બે જૂથ આજે સામ-સામે આવી ગયા હતા. બન્ને જૂથ વચ્ચે જમીન વિવાદ બાબતે જૂથ અથડામણ થઈ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી બન્ને જૂથ વચ્ચે જમીન વિવાદને લઈને વિવાદ ચાલતો હતો. આજે બન્ને જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો વધુ બિચકતાં બન્ને જૂથો મારામારી સુધી પહોંચી ગયા હતા. જેમાં એક જૂથના ત્રણથી ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે.

ત્રણથી ચાર શખ્સો સામેના જૂથના લોકો પર છરી વડે આડેધડ તૂટી પડ્યા હતા. જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિને છાતીના ભાગે છરીના ઘા વાગતા મોત નિપજ્યું હતું. આ આ મામલો હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતાં જ ચુડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભૃગુપુર ગામમાં દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણકારી મેળવીને તપાસ હાથ ધરી હતી. ગામમાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગામમાં આ પ્રકારનો બનાવ બનતાં અન્ય ગામ લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments