Homeગુર્જર નગરીકોરોનાસૂરના કારણે જેનો કોઈ ‘ભાવ’ ન હતું પૂછતું તે સંતરા અને કિવિનો...

કોરોનાસૂરના કારણે જેનો કોઈ ‘ભાવ’ ન હતું પૂછતું તે સંતરા અને કિવિનો ‘ભાવ’ આકાશે આંબી ગયો

Team Chabuk-Gujarat Desk: કોરોનાના વધી રહેલા કેસ અને કોરોના ફેલાવવાની ગતિના કારણે હવે લોકોના મનમાં ભય પેસી ગયો છે. લોકો પણ કોરોનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સિવાય જે અનિવાર્ય છે તે વસ્તુની ભારે માત્રામાં ખરીદી કરી રહ્યા છે. જે રીતે સેનિટાઈઝરની એક સમયે કોઈ માગ ન હતી, પણ કોરોના આવતાની સાથે જ સેનિટાઈઝરની માગમાં ભારે ઉછાળો નોંધોય તેમ હવે સંતરા અને કિવિના ભાવમાં પણ વિક્રમજનક ઉછાળો નોંધાયો છે.

રોગપ્રતિકારકતાશક્તિ વધારવા માટે અને કોરોનાને ડામવા માટે જરૂરી એવી ખાટા ફળોની માગમાં હવે બજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવ વધારો હોવા છતાં લોકો સંતરા અને કિવિની વધારે માત્રામાં ખરીદી કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ‘‘આવતે વખતે ભાવ ઘટે ત્યાલે લઈ લેશું’’ શ્રેણીનાં સંતરા અને કિવિનો ભાવ હવે દોઢ ગણો થઈ ગયો છે.

સામાન્ય દિવસોની અંદર જે સંતરા જે 100થી 150 રૂપિયાના દરે મળતા હતા તે હવે હોલસેલ માર્કેટમાં 200થી 250 રૂપિયા થઈ ગયા છે. એટલું જ નહીં કેટલાક વિક્રેતાઓએ કોરોનાને ધ્યાને રાખતા પોતાના નવા ભાવો નક્કી કરીને રાખ્યા છે. બીજી બાજુ જે કિવિ અન્ય દિવસોમાં 10 રૂપિયાની મળતી હતી અને કોઈ સામેથી આપે તો પણ લેતા નહોતા તે હવે 25 રૂપિયાની થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ આ જ કિવિ ત્રીસ રૂપિયા સુધીની મળે છે. તો ક્યાંક ચાલીસ ભાવ પણ થઈ ગયા છે.

ખટાશમાં ગુણકારી અને ઉત્તમ ગણાતી મોસંબીનો થેલો પહેલા 400થી 500 રૂપિયામાં મળતો હતો હવે તેનો ભાવ પણ 600થી 700 સુધી આંબી ગયો છે. જો છૂટક મોસંબી લેવી હોય તો એક ડઝનનો ભાવ 250 રૂપિયા થઈ ગયો છે. અન્ય ફળોના કોષ્ટકમાં ભાવ જોઈએ તો…

ફળપહેલાહવે
સફરજનકિલોના 80કિલોના 140
ઈમ્પોર્ટેડ સફરજનકિલોના 200કિલોના 275થી 300
કેળાડઝન 30નાડઝન 50ના
માલટા દેશીકિલોના 50કિલોના 80
વિદેશી માલટાકિલોના 90કિલોના 150
લીલા નાળિયેર3040થી 60
લીંબુકિલોના 60150થી 160
પાઈનેપલ5070

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments