Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કોરેટી ગામે તળાવનું પાણી અચાનક ગુલાબી રંગનું થઈ જતાં કૂતુહલ સર્જાયું છે. ગામ લોકોનું કહેવું છે કે, બે મહિનાથી તળાવનું પાણી ગુલાબી થઈ ગયું છે. કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર માની રહ્યા છે તો એક વર્ગ એવો પણ છે જે માની રહ્યો છે કે, વૈજ્ઞાનિક ઘટનાના કારણે પાણીનો રંગ બદલાયો છે.
વાવ-સુઇગામ હાઈવે પર આવેલ કોરેટી ગામમાં પાંડવો સમયનું નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. મંદિર નજીક તળાવનું પાણી ગુલાબી બની જતા ગામના લોકોએ તેને નીલકંઠ મહાદેવની કૃપામાની હતી. જો કે, કેટલાક લોકોએ માન્યું કે, ઘણા સમયથી તળાવમાં પાણી રહેવાથી તળાવના પાણીનો રંગ બદલાયો છે..
ગુજરાતના આ સ્થળે અચાનક જ ગુલાબી થઈ ગયું તળાવનું પાણી ! ચમત્કાર કે વૈજ્ઞાનિક ઘટના ? pic.twitter.com/DmKASD4S9j
— thechabuk (@thechabuk) June 10, 2022
મહત્વનું છે કે, ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું પણ સામે આવી ચુક્યું છે. ત્યારે કોરેટી ગામના લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂના તળાવમાં પાણીનો રંગ ક્યાં કારણે બદલાયો તેની તપાસ થવી જોઈએ..
કટોરી ગામના એક સ્થાનિકે કહ્યું કે, આ તળાવમાં વર્ષો જૂનુ છે. તળાવનો નીચેનો ભાગ અતિશય ક્ષાર વાળો હોવાથી તળાવના પાણીનો કલર બદલાયો હોઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
