Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બીજા દિવસના પ્રવાસમાં અમદાવાદની મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરીને અમદાવાદ ગાંધીનગર હાઇવેથી રાજભવન પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની સંવેદનશીલતા અને દર્દીઓ પ્રત્યેની કરુણતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. એમ્બ્યુલન્સને જોઈને વડાપ્રધાન મોદીએ પોતાનો કાફલો રોકી દિધો હતો. હવે આ એમ્બ્યુલન્સના ડ્રાઇવરનું નિવેદન સામે આવ્યું છે.
એમ્બ્યુલન્સના ડ્રાઇવર અર્જુન પાલાએ જણાવ્યું હું બે વર્ષથી 108માં ફરજ બજાવું છું. અમને 12:53 વાગ્યે ગોતાના રોલ્સ રોયલ માંથી ઇમરજન્સી કેસ માટે ફોન કરવામાં આવ્યો હતો.
PM Modi route from Ahmedabad to Gandhinagar stopped his convoy and gives way to ambulance.#PMModi #PM #NarendraModi #convoy #way pic.twitter.com/mOcC2KjZAx
— thechabuk (@thechabuk) October 1, 2022
અમે ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા ત્યારે વડાપ્રધાનનો કાફલો સરખેજથી ગાંધીનગર રાજભવન જવા માટે નીકળ્યો ત્યારે સર્વિસ રોડ ઉપરથી પીએમ સાહેબને નજર પડતા એમણે પોતાનો કાફલો રોકાવીને અમારી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો તે બદલ અમે પીએમ સાહેબનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તથા અમે પેશન્ટને સહી સલામત હોસ્પિટલ પહોંચાડી શક્યા છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત