Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થયું છે. હીરાબાએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. હીરાબાના નિધનના સમાચારથી માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં દેશના તમામ લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. માતાના નિધનના સમાચાર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ટ્વિટ કરીને આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ ખાતે તેઓના ભાઈ પંકજભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના અંતિમ દર્શન કરીને કાંધ આપી હતી. ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાન ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચારેય ભાઈઓએ માતાને મુખાગ્નિ આપી હતી. હીરાબા પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે.
#WATCH | Gujarat: Heeraben Modi, mother of PM Modi, laid to rest in Gandhinagar. She passed away at the age of 100, today.
— ANI (@ANI) December 30, 2022
(Source: DD) pic.twitter.com/wqjixwB9o7
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ
— ANI (@ANI) December 30, 2022

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું -એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
હીરાબાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યારે આજે મોડી રાત્રે 3.30 કલાકે હીરાબાનું અવસાન થયું છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા