Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ (Heeraba) 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. હીરાબાના નિધનથી નરેન્દ્ર મોદી સહિત તમામ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. નરેન્દ્ર મોદી માતા હીરાબાથી ખૂબ જ નજીક હતા. તેઓ જ્યારે પણ ગુજરાત આવતા ત્યારે માતાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જ્યારે પણ સમય મળે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા સાથે સમય વિતાવતા હતા. આ વર્ષે જ હીરાબાનો 100મો જન્મદિવસ ઉજવાયો હતો. ત્યારે માતા હીરાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વાત કહી હતી જે વાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવી છે.
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, હું જ્યારે તેઓના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેઓએ એક વાત કહી હતી. જે હંમેશા યાદ રહે છે. માતાએ કહ્યું હતું કે, કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.
मैं जब उनसे 100वें जन्मदिन पर मिला तो उन्होंने एक बात कही थी, जो हमेशा याद रहती है कि કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી यानि काम करो बुद्धि से और जीवन जियो शुद्धि से।
— Narendra Modi (@narendramodi) December 30, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાની આ વાત હંમેશા યાદ કરશે. વડાપ્રધાને જણાવ્યું કે માતા હીરાબાની આ વાત હંમેશા મને યાદ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
