Homeગુર્જર નગરીખરીદીમાં નીકળેલા વરરાજાની સરાજાહેર હત્યાથી ખળભળાટ, કાલે લગ્ન હતા

ખરીદીમાં નીકળેલા વરરાજાની સરાજાહેર હત્યાથી ખળભળાટ, કાલે લગ્ન હતા

Team Chabuk-Gujarat Desk: લગ્નના એક દિવસ પહેલા વરરાજાની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાના બનાવથી લગ્નનો અવસર માતમમાં ફેરવાયો છે. જાણકારી અનુસાર, પાટણના રાધનપુરમાં વિપુલ ઠાકોર નામના યુવકના આવતીકાલે લગ્ન હતા. જેના કારણે લગ્નની ખરીદી માટે તે નીકળ્યો હતો. દરમિયાન જાહેરમાં છરીના ઘા ઝીંકી વિપુલ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી.

doctor plus

વિપુલ ઠાકોર સમીના અમરાપુરનો રહેવાસી હતો અને લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો. વિપુલ ઠાકોર પોતાના લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો તે દરમિયાન છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments