Homeગુર્જર નગરીરાજકોટ: બાળકોમાં ફેલાતા ચેપી રોગ ન્યુમોકોકલ ન્યુમોનિયાની આ તારીખે રસી આપવામાં આવશે

રાજકોટ: બાળકોમાં ફેલાતા ચેપી રોગ ન્યુમોકોકલ ન્યુમોનિયાની આ તારીખે રસી આપવામાં આવશે

Team Chabuk-Gujarat Desk: નાના બાળકોમાં બેક્ટેરીયાથી થતાં ફેફસાના ચેપી રોગોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા એ ગંભીર પ્રકારનો ચેપ છે. રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉઘરસ આવવી, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તિવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય તો તેને ખાવા પીવામાં પણ તકલીફ રહે છે. તેને આંચકી આવી શકે છે. બેભાન થઇ શકે છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઇ શકે છે.

advertisement-1

આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે. જેમ કે ખાંસી અને છિંક આવવી. નાની ઉમરના બાળકોમાં આ રોગને રસીકરણ દ્વારા ફેલાતો અટકાવી શકાય છે. આથી આ રોગથી થતાં મૃત્યુના પ્રમાણને ઘટાડવા આગામી તા. ૨૦ ઓકટોબરથી રાજકોટ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત જે બાળકો રસીકરણ માટે ૬ અઠવાડીયા અથવા પોલીયો-૧ અને પેન્ટાવેલેન્ટ-૧ ના પહેલા ડોઝ માટે રસીકરણ માટે આવે ત્યારે ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીન પી.સી.વી.નો પહેલો ડોઝ આપવમાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ ૧૪ અઠવાડીયા પછી અને ૯ મહિના બાદ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.      

advertisement-1

ખાનગી દવાખાનાઓમાં પણ આ રસી ઉપલબ્ધ છે. જ્યારે તમામ સરકારી દવખાનાઓમાં આ રસી વિનામુલ્યે આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ લોકોમાં આ અંગે જાગૃતિ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચુંટાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અન્વયે રસીકરણ કેન્દ્રો પર પ્રથમ બાળકને પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરાયેલ છે.  આ અંગે વધુ વિગતો માટે સ્થાનીક આરોગ્ય કર્મચારી અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને દરેક વાલીઓ પોતાના બાળકને આ રસી અવશ્ય મુકાવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં આપીલ કરાઇ છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments