Team Chabuk-Gujarat Desk: શંકા એ ઘણા ઘરને બરબાદ કરી નાખે છે. અમદાવાદના એક પરિવારની સાથે પણ આવું જ થયું. જ્યાં માતા પિતાની શંકા તેમની વ્હાલસોય પુત્રીનો જીવ લેવા સુધી પહોંચી ગઈ. આ સમગ્ર ઘટના સ્વમાનના પાયા પર ઉભી છે. પુત્રી પુસ્તક લેવા ગઈ હતી, પણ માતા પિતાએ તેને પૂછ્યું હતું કે ક્યાં ગઈ હતી. માતા-પિતાને લાગતું હતું કે તેમની પુત્રી કોઈને મળવા માટે ગઈ હતી અને પુસ્તક એ માત્ર બહાનું છે. બસ, આ વાતનું માઠું લાગી આવતા પુત્રીએ મોતની ચાદર ઓઢવાનું મનોમન નક્કી કરી લીધું હતું. માતા પિતાએ અભયમની ટીમને ફોન કર્યો હતો અને ટીમના પ્રયાસથી આ સમગ્ર કોયડો ઉકેલાયો હતો.

અમદાવાદ શહેરના એક ચોક્કસ વિસ્તારમાંથી અભયમની ટીમને ફોન આવે છે કે તેમની 16 વર્ષની પુત્રી ગળેફાંસો ખાવાની ધમકી આપે છે. અભયમની ટીમ આ ફરિયાદને ધ્યાને લઈ ઘરે પહોંચી હતી. પરિવારના કોઈ પણ સભ્યને જાણ કર્યાં વિના તેમની પુત્રી કલાકો સુધી ઘરની બહાર રહેતી હોય આ વાતની શંકાના આધારે માતા પિતાએ પૂછપરછ કરી હતી, પણ તેમનો નહોતી ખબર કે પૂછપરછનું આવું ઉલટું પરિણામ આવશે.

અભયમની ટીમે કિશોરી સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, ‘હું પુસ્તક લેવા માટે ગઈ હતી. મોડું થતાં માતા પૂછપરછ કરી ઝઘડો કરે છે અને પિતા પણ તેમને જ સાથ આપે છે. આથી મારે તેમની સાથે નથી રહેવું.’ કિશોરીની વાત સાંભળ્યા બાદ અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવાની માહિતી આપી આ સમગ્ર ઘટનાનો શાંતિપ્રિય રીતે ઉકેલ લાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત