Homeગુર્જર નગરીરાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો, હેઠવાસના ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા સુચના

રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો, હેઠવાસના ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા સુચના

Team Chabuk-Gujarat Desk: આસો મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં વરસાદ હજુ સુધી વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના અનેક તાલુકાઓમાં ગઈકાલે અને આજે વરસાદ વરસ્યો છે. નવરાત્રિમાં વરસાદ વરસદા ખેલૈયાઓ પણ અકળાયા છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના મોટા ભાગના ડેમ ઓવરફલો થયા છે. તથા ઉપરવાસનાં ગામોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. આથી જિલ્લાના આજી-૧, વેરી, ડોન્ડી,વેણુ-૨, કબીર સરોવર, મોજ, આજી-૨, ભાદર, કર્ણુકી, ફોફળ-૧, છાપરવાડી-૨, ન્યારી-૧, લાલપરી, ન્યારી-૨, મોતીસર, ભાદર-૨, ખોડાપીપર, સુરવો, સોડવદર, ગોંડલી, વાછપુરી, ઈશ્વરીયા અને આજી-૩ ડેમોના દરવાજા ગમે ત્યારે ખોલાવાની શક્યતા હોવાથી, ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસના ગામોમાં રહેતા નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા અધિક્ષક ઇજનેર, જિલ્લા ફ્લડ વર્તુળ સેલ, રાજકોટ દ્વારા સુચના આપવામાં આવી છે.

જસદણ તાલુકાના આ ગામોને અપાઈ સુચના

અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામ પાસેનો કર્ણુકી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. બપોરે ૪.૨૦ વાગ્યે ૨૬૧ ક્યુસેકના પ્રવાહની આવક ચાલુ છે અને ૨૬૧ કયુસેક  છોડવામાં આવ્યું છે. ડેમનો ૧ દરવાજો ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે, આથી જસદણ તાલુકાના જીવાપર, જુના પીપળીયા અને પ્રતાપપુર ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments