જયેશ મુછડીયા (શાપર): રાજકોટ નજીક આવેલા શાપર વિસ્તારમાં એક મહિલાએ ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના શાપર વિસ્તારમાં આવેલી શાંતિધામ સોસાયટીની છે. જ્યાં પરણિત મહિલાએ પોતાના ઘરમાં જ પંખામાં સાડી બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.
ઘટનાની વિગતો જોઈએ તો, શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન હરસુખભાઈ પરમાર (ઉં.વ. 28)એ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક મહિલાના પતિ કારખાનામાં કામ કરતો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો ત્યારે તેની નજર સામે જે દ્રશ્ય આવ્યું તે જોઈને તેના પગતળેથી જમીન સરકી ગઈ. પતિ ઘરે આવ્યો ત્યારે તેમની પાંચ વર્ષની દીકરી મોબાઈલમાં રમતી હતી અને પત્ની પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને પતિ હચમચી ગયો હતો. આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા.

મૃતક મહિલાના લગ્ન 9 વર્ષ પહેલા હરસુખભાઈ સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલા ધર્મિષ્ઠાબેનનું પિયર માળિયા હાટીના તાલુકાના અવાણિયા ગામે હતું. બનાવના દિવસે પતિ જ્યારે નોકરી પૂરી કરીને ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તેમની દીકરી મોબાઈલમાં રમતી હતી અને બાજુમાં પત્નીનો મૃતદેહ લટકતો હતો. હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. મહિલાએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત