જયેશ મુછડિયા: રાજકોટની શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તા. ૨૯/૯/૨૪ના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમય ૯થી ૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ હતો.
આ કેમ્પમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ સેન્ટર, રાજકોટની સંસ્થાઓએ ભાગ લીધો હતો. રવિ ટેકનોફોર્જના માલિક અમૃતલાલ ભદારિયાએ એમની કંપનીના કર્મચારીઓને આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા જણાવ્યું હતું. રવિ ટેકનોફોર્જ કંપનીમાં કામ કરતા અંદાજે ૩૦ વ્યક્તિઓએ પણ આ કેમ્પમાં ભાગ લઈ રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. સાથે જ તમામ લોકોએ અપીલ કરી હતી કે યુવાનોએ પણ રક્તદાન કરવું જોઈએ.
મહત્વનું છે કે, રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ અકસ્માત, ડિલિવરી જેવા કેસ આવતા હોય છે. જેમાં દર્દીને તાત્કાલિક રક્તની જરુર પડતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ