Team Chabuk-Gujarat Desk: આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે. આ રોજગાર મેળામાં ભરતી માટે તમામ ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે.
વિગતો એવી છે કે અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી પોતાના વિસ્તારના અને અન્ય લોકો પણ વધુમાં વધુ સારી સેવાઓ મેળવી શકે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરતા જ રહે છે. આ વખતે ધારાસભ્ય પાયલ કૂકરાણીએ બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે.
આ રોજગાર મેળામાં રાજ્યની 20થી વધુ પ્રખ્યાત કંપનીઓ ભાગ લેવાની છે. અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓમાં એપ્રેન્ટિશસિપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, એડમીન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ, સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
૨૦ જેટલી કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ પ્રા. લી. મધરસન સુમી,મીંડા, ગ્રાઝિયાનો ટ્રાન્સમિશન્,સુઝુકી મોટર્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ, એક્ષીસ્ બેન્ક, જેક્ટેક હાયડ્રોલિક,દિવ્ય ભાસ્કર, ડીમાર્ટ,મેહતા હાઈટેક ઈન્ડસ્ટ્રિઝ્, ડેન્ગીડમ્સ, વગેરે જેવિ કમ્પનિ ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખી તા. ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે આઈટીઆઈ કુબેરનગર, ગેલેક્ષી સિનેમાની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું. ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખવી ફરજીયાત છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત