Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને અસર પડી છે. અનેક ટ્રેનો મોડી છે તો કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસ આજે રાજકોટથી 19.20 કલાકે ઉપડશે.
ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે રેલ વ્યવહારને અસર થઈ છે, જેના કારણે વધુ કેટલીક ટ્રેનોને અસર થઈ છે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો
19.07.2024 ના રોજ રાજકોટ થી ઉપડતી ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
ટ્રેન આંશિક રીતે રદ
ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે રાજકોટથી દોડશે. આમ આ ટ્રેન પોરબંદર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન રાજકોટથી તેના નિર્ધારિત સમય 13.20 કલાકના બદલે 6 કલાકના મોડી એટલે કે 19.20 કલાકે ઉપડશે.
21 જુલાઈની વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ રદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શન માં સાણંદ સ્ટેશન (દક્ષિણ) થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને લીધે 21 જુલાઇ, 2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને માળખું સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત