Team Chabuk-Gujarat Desk: જામનગરના કાલાવડના નાના વડાળા ગામમાં મોટી દુર્ઘટના ટળી હતી. ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. જેથી બસમાં સવાર 9 વિદ્યાર્થી, બે શિક્ષક અને ડ્રાઈવરના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તમામ વિદ્યાર્થી, શિક્ષક અને ડ્રાઈવરને કાલાવડ ફાયર વિભાગની ટીમે ગામલોકોની મદદથી બચાવી લીધા હતા.
સમગ્ર બનાવની વાત કરીએ તો, નાના વડાળા ગામના કોઝ-વે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. જીવ બચાવવા બસમાં સવાર વિદ્યાર્થિનીઓ બસ પર ચઢી ગયા હતા. બીજી તરફ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને બચાવવા માટે ગામલોકો અને ફાયરબ્રિગેડના જવાનો જીવના જોખમે ભારે પ્રવાહમાં ઉતર્યા હતા. ત્યારબાદ દોરડાની મદદથી તમામ લોકોને ધસમસતા પ્રવાહમાંથી સલામત બહાર કાઢ્યા હતા.
જ્યારે બસ તણાઈ ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે નદીની વચ્ચે ફસાયેલી બસ સુધી પહોંચવું મુશ્કેલ હતું. જો કે, ગામલોકો અને ફાયર વિભાગની ટીમના જવાનોએ દિલધડક રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પહેલાં દોરડાની મદદથી બસને બાંધી દેવાઈ હતી જેથી બસ પાણીના પ્રવાહમાં ન તણાઈ જાય. જે બાદ તમામને સુરક્ષિત બહાર કઢાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત