Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ચોટીલામાં મનહર પાર્ક સોસાયટી નજીકથી મળેલા મૃતદેહના કેસનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે પાટલા સાસુની દીકરી સાથે પ્રેમપ્રકરણમાં સસરા, સાળા અને પત્નીએ મારમારી હત્યા કર્યાનો ખુલાસો કર્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે, વાંકાનેરના રાતીદેવળી ગામના દેવકરણ વિકાણીને તેની ચોટીલા રહેતી પાટલા સાસુ હંસાબેન કિશોરભાઈ ખાવડીયાની દીકરી કાજલ સાથે ચાર માસથી રાજકોટ રહેતો હતો. તેની પહેલી પત્ની પુરીબેન દેવકરણભાઈ વિકાણી તેના 3 સંતાનો સાથે પિતાના ઘરે સણોસરા ગામે રહેતી હતી.

દેવકરણના માતા પિતા વાજડી ગામની સીમમાં ગીરીશભાઈ પટેલની વાડીએ મજૂરી કામ અર્થે રહેતા હતા. ત્યાં દેવકરણભાઈ અને કાજલ બંને વાજડી ગીરીશભાઈની વાડી પર જઈને ત્યાંથી કાજલને ચોટીલા તેના માતા હંસાબેનના ઘરે જઈએ છીએ અને કાજલને તેના ઘરે મૂકીને તેની પત્ની પુરીબેન અને સંતાનોને લઈને આવું છું.તેવું તેની માતાને જાણ કરી ત્યાંથી નીકળ્યા હતા.
રાજકોટથી દેવકરણ અને કાજલ ચોટીલા આવ્યા ત્યાંથી હંસાબેન ખાવડીયાના ઘર બાજુ જતા હતા. તે સમયે દેવકરણે કાજલને તેની માતા માર મારશે તેવું કહીને કાજલ અને દેવકરણ પાછા ફરતા તેઓ મનહર પાર્ક બાજુ કાજલ વાડી બાજુ જતા હતા.
કાજલના મામા રઘુ વજાભાઈ તલવાણી, જાદવભાઈ ભોજાભાઇ તલસાણીયા, વજાભાઈ અમરશીભાઈ તલસાણીયા અને દેવકરણની પત્ની પુરીબેન બધા એક સંપ કરીને લોખંડના પાઇપ અને લાકડી ધોકા જેવા હથિયારો દ્વારા દેવકરણને માર માર્યો હતો. જેમાં દેવકરણનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે આરોપી સાળો, રાજકોટનો રઘુ વજા તલસાણીયા, અને સરધારના જાદવ વજાભાઈ તલસાણીયા, સણોસરાના વજા તલસાણીયા, તથા સણોસરાના પુરી દેવકરણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
