Homeગુર્જર નગરીસુરતઃ બે સગી બહેનોનું તળાવમાં ડૂબવાથી મોત, પરિવારમાં માતમ

સુરતઃ બે સગી બહેનોનું તળાવમાં ડૂબવાથી મોત, પરિવારમાં માતમ

Team Chabuk-Gujarat Desk: સુરતના હજીરામાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા છે. એક સાથે બે બહેનોના મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હજીરા વિસ્તારમાં આવેલ AMNS ટાઉનશીપમાં તળાવમાં એક છ વર્ષની અને નવ વર્ષની બે સગી બહેનો ડૂબી ગઈ હતી. ટાઉનશિપમાં ઘર બહાર બંને બહેનો રમવા ગઈ હતી. રમતા રમતા નજીકના તળાવમાં જતા દુર્ઘટના ઘટી હતી.

doctor plus

મળતી માહિતી મુજબ છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમનું તળાવમાં ડૂબતા મોત થયું છે. બંને રમવા ગઈ હતી પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ કરી હતી. શોધખોળ દરમિાયન બંને બાળાઓ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાંથી મળી હતી. જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, તબીબોએ બંને બહેનોને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા હજીરા પોલીસે બંને બહેનોના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments