Homeગુર્જર નગરીસુરત: દીકરીઓએ માતાને કાંધ આપી મોક્ષધામ પહોંચાડ્યા, ભાઈ ન હોવાથી દીકરીઓએ જ...

સુરત: દીકરીઓએ માતાને કાંધ આપી મોક્ષધામ પહોંચાડ્યા, ભાઈ ન હોવાથી દીકરીઓએ જ આપી મુખાગ્નિ

Team Chabuk-Gujarat Desk: સુરતના અમરોલીમાં એક વૃદ્ધાના અવસાન બાદ તેમની અંતિમવિધિ દીકરીઓએ કરી હતી. માતાનું અવસાન થતાં દીકરીઓએ જ માતાને કાંધ આપી મોક્ષધામ સુધી પહોંચાડ્યા હતા. પરિવારમાં દીકરીઓને કોઈ ભાઈ ન હોવાથી દીકરીઓએ જ ભાઈની જવાબદારી નિભાવી હતી. આ દરમિયાન કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

મૂળ અમદાવાદના અને હાલ સુરતમાં રહેતા રળયાતી બેન મોહન ભાઈ પુમ્ભડીયાને ચાર દીકરીઓ છે. અગાઉ મોટી દીકરીનું અવસાન થયું હતું. ત્યારે ત્રણેય દીકરીઓના ઘરે માતા અવાર નવાર વખત રહેવા માટે આવતા હતા. સુરતના મોટા વરાછા ખાતે રહેતી દીકરી નીતાબેન રમેશભાઈ વોરાના ઘરે માતાનું 83 વર્ષીય ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. ત્યારે દીકરીઓએ સમાજમાં નવી રાહ  ચીંધીને માતાને કાંધ આપી હતી.

કાંધ આપનાર દીકરીઓનું કહેવું છે કે, મા તે મા બીજા વગડાના વા. આમરી ઘરે ભાઈ ન હોવાથી માતાના અવસાન થતાં અમે પુત્ર બનીને માતાને વિદાય આપી છે.રિવાજ પ્રમાણે માતાનું મૃત્યુ બાદ દીકરાઓ તેમની અંતિમ ક્રિયા કરતા હોય છે. છેલ્લા લાંબા સમયથી દીકરીઓ સ્મશાને જઈને પોતાના માતા-પિતાને અંતિમ સંસ્કાર કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.

દીકરીઓએ માતાને કાંધ આપવાનો આ વધુ એક ઘટના સામે આવતા ફરી એકવાર સમાજમાં મહિલા લક્ષી અથવા તો મહિલાઓ સમાજના ખભેથી ખભો મિલાવીને ચાલતા હોય તેવું સાબિત થઇ રહ્યું છે.અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે જેમાં દીકરીઓઓ પોતાના માતા-પિતાને કાંધ આપી ચુકી છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments