Team chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. BCCIની મેડિકલ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ રમવા માટે ફીટ નથી. બીસીસીઆઈ ટૂંક સમયમાં બુમરાહના સ્થાને આવનાર ખેલાડીનું નામ આઈસીસીને મોકલશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાંથી બુમરાહ બહાર થઈ ગયો છે.
BCCIએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “મેડિકલ ટીમે માહિતી આપી છે કે, જસપ્રીત બુમરાહ ICC T20 વર્લ્ડ કપ માટે ફિટ નથી. બુમરાહની ફિટનેસ અંગે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. બુમરાહ અગાઉ પીઠના દુખાવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાના નંબર વન બોલર વગર જ મેદાનમાં ઉતરવું પડશે. બુમરાહના રિપ્લેસમેન્ટની વાત કરીએ તો, રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ મોહમ્મદ શમી ટીમમાં પોતાનું સ્થાન લઈ શકે છે. મોહમ્મદ શમી 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થાય તેવી શક્યતા છે.
બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ સિરાજની દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે. જો કે સિરાજને વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓમાં જગ્યા મળવાની શક્યતા છે. આ સિવાય ત્રણ વધારાના ફાસ્ટ બોલર પણ ટીમની ટ્રેનિંગ માટે ઓસ્ટ્રેલિયા જશે જેમાં કુલદીપ સેન, મુકેશ ચૌધરી અને ચેતન સાકરિયા ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન માટે 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
