Team Chabuk-Sports Desk: ભારતીય ટીમને સેમીફાઈનલમાં મળેલી હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ હવામાં ઉડી રહ્યા છે ! સોશિયલ મીડિયા પર તેઓ ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવી રહ્યા છે અને પોતાના ક્રિકેટર્સના મન ભરીને વખાણ કરી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBના ચીફ રમીઝ રાજા, શોએબ અખ્તર અને વસીમ અકરમ જેવા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે પોતાની વાત કરી હતી.
રમીઝ રાજાએ કહ્યું હતું કે, ‘અબજો ડોલરની લીગના ક્રિકેટર્સ પાછળ રહી ગઈ અને પાકિસ્તાન આગળ નીકળી ગઈ.’ રમીઝે કહ્યું હતું કે ‘ઘણા લોકોએ ટીમ પર શંકા વ્યક્ત કરી હતી. આ વર્લ્ડ કપએ દેખાડી દીધું છે કે વર્લ્ડ ક્રિકેટ કેટલા પાછળ રહા ગયા છે અને પાકિસ્તાન કેટલું આગળ નીકળી ગયું છે. આ વર્લ્ડ કપમાં બિલિયન-ડોલરની ઇન્ડસ્ટ્રીવાળી ટીમ પાછળ રહી ગઈ અને અમે આગળ નીકળી ગયા છીએ. અમે શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલે જ અમે આ અંગે જશ્ન મનાવાનો હક છે.’
શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘ઈન્ડિયાની શરમજનક હાર… આ ટીમ ખૂબ જ ખરાબ રમી અને તેઓ આને જ લાયક હતી. હૈરાનીની વાત છે કે તમે એક પણ વિકેટ લઈ શક્યા નથી. તમારી બોલિંગ પૂરી રીતે એક્સપોઝ થઈ ગઈ છે. ભારતની પાસે કંડીશનલ ફાસ્ટ બોલર છે. કંડીશન સારી હોય, તો સારી બોલિંગ કરે છે… બાકી નહિ. કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી. સિલેક્શન પણ કન્ફ્યૂઝ કરે છે. વિચાર્યું હતું કે મેલબોર્નમાં સાથે ફાઈનલ રમીશું, પણ એવું થયું નહિ…’
તો વસીમ અકરમે કહ્યું હતું કે ‘IPLનો કોઈ ફાયદો નથી.’ અકરમે દલીલ કરી હતી કે ‘ભારત 2007માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તેના પછી જ 2008માં IPL આવ્યું હતું. આ પછી ભારત ક્યારેય પણ વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. આનો મતલબ એ જ છે તે IPLનો કોઈ જ ફાયદો થયો જ નથી.’
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?