Team Chabuk-Gujarat Desk: રાજકોટના જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે આવેલા ક્વાર્ટરમાં રહી સોઢા નર્સિંગ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલે તેના મંગેતર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
અસ્મિતા રોજાસરા નામની યુવતિએ 9 ઓગસ્ટે ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. મંગેતર પર સગાઈ તોડી નાંખવા દબાણ કરવાનો તથા ભાવી નંણદોયા અને તેના મિત્ર દ્વારા અસ્મિતાના હાથપગ બાંધી માર મારવાનો આરોપ છે.

24 વર્ષની અસ્મિતાના મંગેતર પર સગાઇ તોડી નાખવા માટે ખૂબ જ દબાણ કરતો હતો. દાવો છે કે, મંગેતરના ત્રાસના કારણે અસ્મિતા માનસિક તણાવમાં હતી. આ અંગે અસ્મિતાના પિતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવી હતી.
અસ્મિતા તેની મોટી બેન છાયા સાથે રહી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ગઇ તા. 9ના રોજ તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતા પરસોત્તમભાઇ (ઉ.વ. 47)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બીજા નંબરની પુત્રી અસ્મિતાની બે વર્ષ પહેલા ગઢડાના સાંજણાવદર ગામના સિધ્ધરાજ સાથે સગાઇ કરી હતી. જે વડોદરામાં નોકરી કરે છે. જે તેમની પુત્રીને માનસિક ત્રાસ આપતો હતો.
અસ્મિતાની મંગેતર સાથે ચેટ પણ સામે આવી છે. જેમાં આરોપીએ ધમકીભરી ભાષામાં ચેટિંગ કર્યાનું ખુલ્યું હતું. જેના આધારે જમાઇ સિધ્ધરાજ, તેની પુત્રીના નણદોયા અને તેના અજાણ્યા મિત્ર વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત