Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં જ દેશ માટે આહુતિ આપનારા શહીદ મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. શહીદ જવાન મહિપાલસિંહની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.ઓગસ્ટની શરુઆતમાં અમદાવાદના 27 વર્ષના વીર મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે બહાદૂરી પૂર્વક લડતા લડતા મહિપાલસિંહએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા હતા.
આ દરમિયાન મહિપાલસિંહના પત્ની પ્રેગનેન્ટ હતા. હાલ 11મી ઓગસ્ટની સાંજે મહિપાલસિંહના પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા અને તે પછી તેઓ બાળકનો જન્મ થાય તેના અઠવાડિયા પહેલા શહીદ થયા હતા.
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા અને બાળપણથી જ તેમને સેનામાં જોડાવાનો રસ હતો.

મહિપાલસિંહનો જન્મદિવસ 15મી ઓગસ્ટના દિવસે આવે છે અને જેના કારણે બાળપણથી જ તેમને દેશની રક્ષા માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી અને તેમણે તે કરી પણ બતાવ્યું. જોકે તેઓ પોતાની દીકરીનું મોઢું પણ ન જોઈ શક્યા. મહિપાલસિંહના પરિવારમાં એક તરફ ખુશીનો પ્રસંગ છે પરંતુ તેનાથી વધુ દુઃખ તેમને મહિપાલસિંહ આ ખુશીના પ્રસંગમાં હાજર નથી તે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત