Homeગુર્જર નગરીસુરતઃ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 7ના મોત, 27 દાઝ્યા, 3 ગંભીર

સુરતઃ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 7ના મોત, 27 દાઝ્યા, 3 ગંભીર

Team Chabuk-Gujarat Desk: સુરતમાં સચિન GIDCમાં લાગેલી ભીષણ આગમાં 7 લોકોના મોત થયા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. જેમાં 27 કામદારો દાઝ્યા છે. જેમાંથી ત્રણ કામદારોની હાલત ગંભીર છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. બે વાગ્યાની આસપાસ લાગેલી આગે ભીષણ સ્વરુપ ધારણ કર્યુ હતું. આગની ઘટનાના 30 કલાક બાદ 7 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

સુરતમાં મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં થોડા જ કલાકોમાં સતત પાણીનો મારો કરાયા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ કહ્યું કે, ઘટના મોડી રાતે બે વાગ્યાની આસપાસ લાગી હતી. કોલ મળતા જ માન દરવાજા, મજુરા, ભેસ્તાન સહિતના ઘણા વિસ્તારની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બેકાબુ બની બહાર નીકળી રહી હતી. કેમિકલ કંપનીને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જેથી પાણીનો મારો સતત ચલાવતા ચલાવતા ફાયર ફાઇટરોએ કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

Surat fire in chemical company

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments