Team Chabuk-Gujarat Desk: સુરતના ઉધનામાં પરપ્રાંતિય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવક ઓરિસ્સાનો રહેવાસી હતો અને પારિવારિક અંટસના કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.
યુવકે આત્મહત્યા કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં તેમને ઉડીયા ભાષામાં લખેલી આત્મહત્યાની નોટ મળી આવી હતી. આત્મહત્યાના પત્રમાં તેણે લખ્યું હતું કે, “પત્ની બીજા બે છોકરાનાં સંપર્કમાં હોવાથી દુઃખી થઈ આપઘાત કરું છું.’’ બાદમાં પોલીસે આત્મહત્યાના પત્ર દ્વારા તમામ તજવીજ હાથ ધરી છે.
ઓરિસ્સાનો રહેવાસી એવો આનંદી નામેરી આ યુવક સુરતના લુમ્સ કારખાનામાં નોકરી કરતો હતો. થોડા સમય પહેલા પત્ની સાથે બોલચાલ થતા તે વતન પણ ગયો હતો. વતનથી પરત આવ્યા બાદ આનંદીએ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક આનંદીને પાંચ વર્ષની પુત્રી પણ છે.
પોલીસને આ અંગે એવી પણ જાણકારી હાથ લાગી છે કે મૃતક યુવાનનો પત્ની સાથે વિખવાદ હોવાના કારણે પંચાયત સમક્ષ સમાધાન પણ કરવામાં આવ્યું હતું. જોકે તેની પત્ની તેના માતા પિતાની પાસે પિયર જતી રહી હતી. તો બીજી બાજુ આનંદી સુરત આવી ગયો હતો અને તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત