Homeગુર્જર નગરીધ્રાંગધ્રામાં હનુમાનજી મંદિરના મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

ધ્રાંગધ્રામાં હનુમાનજી મંદિરના મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં હનુમાનજી મંદિરના મહંતની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા શહેરના કુડા રોડ ઉપર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલમાં લૂંટના ઈરાદે મહંતની હત્યા કરાઈ હોવાની આશંકાએ પોલીસે હત્યારાઓની તપાસ શરૂ કરી છે.

mahant hatya

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ધ્રાંગધ્રા-કુડા રોડ પર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંત દયારામ ઉર્ફે વિજયગીરી બાપુ શુક્રવારે સવારે મંદિરની ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યે અજાણ્યા 5 શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને મહંતની હત્યા કરાઈ હોવાની આશંકા છે.

પોલીસે તપાસ કરતા ઓરડીમાંથી માલ-સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો. જેથી આશંકા છે કે મહંત દયારામ બાપુની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. મહંત દયારામ બાપુ છેલ્લા 10 વર્ષથી મંદિરમાં મહંત તરીકે સેવા આપતા હતા. મહત્વનું છે કે, છેલ્લા 8 દિવસમાં ધ્રાંગધ્રામાં આ બીજો હત્યાનો બનાવ છે. મહંતની હત્યાને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળ્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments