Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ LCBએ ઊનાના સૈયદરાજપરા ગામે થયેલી 5 લાખથી વધુ રુપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં પડોશી મહિલા સમજુ રાઠોડ અને તેના માનેલા ભાઈ ભગવાન કામળિયાની ધરપકડ કરી છે.
આરોપ હતો કે, ફરિયાદી ભીખીબેન ચૌહાણના ઘરમાંથી 4 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. 5 એપ્રિલે રાત્રે અઢી વાગ્યે ભીખીબેન તેમની પુત્રી સાથે ફિશિંગ બોટ ખાલી કરવાના મજૂરી કામે ગયા હતા. આ દરમિયાન તેમણે ઘરને તાળું મારી ચાવી બહારના રસોડામાં મૂકી હતી.
આ બધી ગતિવિધિઓથી વાકેફ એવા પડોશી મહિલા સમજુ રસોડામાંથી ચાવી લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અનાજની કોઠીમાં રાખેલા રોકડા અને દાગીનાની ચોરી કરી હતી. સવારે સાત વાગ્યે ભીખીબેન ઘરે આવ્યા ત્યારે ઘરમાં વેરવિખેર જોવા મળ્યું હતું.
એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી. પાડોશીઓની પૂછપરછમાં સમજુ રાઠોડ શંકાના દાયરામાં હતી. પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી.
આરોપી મહિલાએ ચોરીના દાગીના વેચવા માટે ખાપટ ગામના તેના માનેલા ભાઈ ભગવાન કામળિયાની મદદ લીધી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત