Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના સંદર્ભે જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનામાં ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર, સુત્રાપાડાના કડસલા અને કોડીનારના નાનાવાડા ગામની પસંદગી કરવામાં આવી છે. આ પસંદ કરાયેલા ગામોમાં રૂપિયા ૨૦ લાખના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. આ માટે નિયમોનુસાર સ્થાનિક કક્ષાએથી જ નક્કી કરાયેલા વિકાસના કામો કરવામાં આવશે. આ ગામોમાં જાહેર સગવડતાઓ વિકસે અને તેનો લાભ લોકોને મળે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ કલેક્ટરે સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરીક્ષણ કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
ઉપરાંત આ બેઠકમાં એસ.બી.એમ.-જી હેઠળ ટોયલેટની જરૂરિયાત, સામૂહિક-વ્યક્તિગત શોષ ખાડાની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ, પ્રા.શાળા અને ગ્રામ પંચાયતની બિલ્ડીંગ પર રેઇન વોટર હાર્વેસ્ટીંગ, વિધવા પેન્શન, કુપાષિત બાળકો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ સહિતની વ્યક્તિલક્ષી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, જિલ્લા પી.એમ.એ.જી.વાય સમિતિના સભ્ય સચિવ અને નાયબ નિયામક (અ.જા.ક.) એ.જે.ખાચર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત