Team Chabuk-Gujarat Desk: છેલ્લા 6 મહિનાથી તૈયાર થઈને લોકાર્પણની રાહ જોઈ રહેલા મોરબીના નવા બસ સ્ટેશનના લોકાર્પણનું મુહૂર્ત આખરે નીકળ્યું છે. આવતીકાલે 18 મેના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવશે અને નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના ૩૨ નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સભ્યો, ધારાસભ્યો અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, મોરબીનું નવ બસ સ્ટેશન ઘણા સમયથી તૈયાર થઈને પડ્યું છે. મુસાફરો પણ બસ સ્ટેશનને ખુલ્લુ મૂકવાની અનેક વખત માંગ કરી ચુક્યા છે. પરંતુ તંત્ર પાસે જાણે સમય જ ન હોય તેમ લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. બે દિવસ પહેલા મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીના નવા બસ સ્ટેશનને ખુલ્લુ મૂકવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના નેતાઓ રીબીન કાપે તે પહેલા જ પોલીસે તમામ નેતાઓ અને કાર્યકરોને ઝડપી લીધા હતા. ત્યારે વિરોધ વધતાં જ બે દિવસમાં સરકારી તંત્રએ મોરબી બસ સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ જાહેર કરી દીધો અને હવે આવતીકાલે તારીખ 18 મેના રોજ હર્ષ સંઘવી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
