Team Chabuk-Gujarat Desk: ભારત સરકારના કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નીતિન ગડકરી આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ આવતીકાલે 17 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ હેલિકોપ્ટર દ્વારા વડોદરા આવી ભરૂચ સાઈટ અને નર્મદા બ્રિજનું નિરીક્ષણ કરશે. ભરૂચ ખાતે મુંબઈથી દિલ્હી નિર્મણાધિન એક્સપ્રેસ-વેના કામની મુલાકાત લેશે.
ત્યારબાદ તેઓ વડોદરા પરત ફરશે. મંત્રી દ્વારા તા.17મીએ બપોરે 2.45 થી 3.15 વાગ્યા સુધી દુમાડ ચોકડી પાસે નેશનલ હાઇવે 48 પર અમદાવાદ-વડોદરાને જોડતા માર્ગના સમારકામની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. મંત્રી નીતિન ગડકરી બપોરે 3.40 થી 4.00 દરમિયાન વડોદરાના કોઠી વિસ્તારના શાસ્ત્રી પોળ ખાતે ભારતના નાગરિકો માટે જુદી-જુદી સરકારી સેવાઓ દર્શાવતા 71 હોટ એર બલૂનનો ફ્લેગ ઓફ કરશે.
અકોટા સ્થિત સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સાંજે 4.15 થી 5.00 વાગ્યા સુધી તેઓ 271 ગંગાસ્વરુપ બહેનોને માસિક પેન્શન માટે સરકારી મંજૂરી આપતા પત્રોનું વિતરણ તથા દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત