Team Chabuk-Gujarat Desk: જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી 5.26 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં જુનાગઢ પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓએ જોષીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘૂસી લૂંટ કરી હતી. આરોપ છે કે, સાંજના સમયે આરોપી મકાનમાં ઘૂસ્યા હતા અને એકલા રહેતા મહિલાને છરી તેમજ બંદૂક બતાવી રોકડા બે લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 5.26 લાખ રૂપિયાની લૂંટ કરી હતી.
આરોપીને શોધવા જૂનાગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં બાતમીના આધારે કેશોદથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ રકમ અને દાગીના પણ જપ્ત કર્યા છે.. લૂંટને અંજામ આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

લૂંટને અંજામ આપતા પહેલા આરોપીએ જૂનાગઢની આલ્ફા સ્કૂલ નંબર 1 પાસેથી બાઇકની ચોરી કરી હતી. બાદમાં બાઇકના નંબરની પ્લેટ કાઢી સાંજના 7:18 વાગ્યે લૂંટ ચલાવી હતી. ચોરી બાદ બન્ને આરોપી બાઇક લઇને નાસી ગયા હતા. બાદમાં બાઇકને કેશોદ રેલવે સ્ટેશન મુકી પોત-પોતાના ઘરે જતા રહ્યા હતા.
સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સોર્સના આધારે કેશોદના ડેવિડ ઉર્ફે જેન્તી સોલંકી અને અનિલ વ્રજલાલ ઉર્ફે વજુ મારુના નામ ખુલ્યા હતા. આમ, જૂનાગઢમાં થયેલી સાડા પાંચ લાખની લૂંટના આરોપીઓને એલસીબીએ ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. દાવો છે કે, આ બંને આરોપી વિરૂદ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુના નોંધાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
