Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા મોત થયું છે. માણાવદરથી એક પરિવાર પિતૃ તર્પણ માટે દામોદર કુંડ આવ્યો હતો. જેમની સાથે એક બે વર્ષનું બાળક પણ હતું. જો કે, કોઈ કારણસર બાળક દામોદર કુંડમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં ડૂબી જતા 2 વર્ષના માસૂમનું મોત થયું છે.
મહત્વનું છે કે હાલ ગીરના જંગલોમાં ઉપરવાસમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જેને લઈને દામોદર કુંડમાં પાણીની આવક સારી રહે છે. દામોદર કુંડમાં પાણીનો વેગ વધુ હોવાથી બાળક તણાયું હોવાનું અનુમાન છે. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતા એક ટીમ તાત્કાલિક દામોદર કુંડ પર પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી હતી.
કુંડમાં શોધખોળ કરતા ફાયર વિભાગની ટીમને બાળકનો મૃતદેહ મળ્યો હતો. બે વર્ષના બાળકનું આવી રીતે અચાનક મોત થતા માંગરોળથી આવેલો પરિવાર ચોધાર આંસુએ રડ્યો હતો. દામોદર કુંડ આસપાસ ગમગીની છવાઈ હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત