શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના કોડિનારની અંબુજા સિમેન્ટ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે. વડનગર ગામના લોકોએ કોડિનારના મામલતદાર અને પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી કંપની વિરૂદ્ધ કડક પગલાં લેવા માગણી કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે, છેલ્લા ત્રણ મહિનાથી અંબુજા સિમેન્ટ કંપની કાળી કોલસી અને કેમિકલ દિવસ રાત છોડે છે. જેને લઈને કંપની આસપાસ રહેતા લોકો રોગચાળામાં સપડાય તેવી ભીતિ છે. તો બીજી તરફ ડસ્ટિંગના કારણે આસપાસની જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે તેવો સ્થાનિકોનો આરોપ છે.

સ્થાનિકોનો આરોપ છે કે આ અંગે અગાઉ અનેકવાર કંપનીના મેનેજમેન્ટને રજૂઆત કરાઈ છે જો કે, કંપનીના સંચાલકો સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે. દાવો છે કે, વડનગરના સ્થાનિકોએ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને રજૂઆત કરાઈ હતી. જે બાદ કંપનીએ સાત દિવસમાં કંપનીએ પ્રદૂષણ અટકાવવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સ્થિતિ જૈસે થે જ છે.
એટલું જ નહીં આ મુદ્દે જ વડનગરના પશુપાલક છેલ્લા એઠવાડિયાથી કલેક્ટર કચેરી ધરણાં પર છે પરંતુ સંચાલકો ઉપરાંત સરકારના પેટનું પણ પાણી નથી હલી રહ્યું. આ સમગ્ર મુદ્દે વડનગરના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સાત દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ સ્થાનિકો પરિવાર સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે.
સ્થાનિકોએ કંપની દ્વારા ડસ્ટિંગનો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં આસપાસના વિસ્તારમાં કાળી કોલસી જેવા રજકણો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે, આ જ પ્રકારે કંપનીમાંથી સતત ડસ્ટિંગ થઈ રહ્યું હોવા છતાં કંપની મેનેજમેન્ટ ડસ્ટિંગની વાત સ્વીકારવા તૈયાર નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
