Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીના આધેડે અગમ્ય કારણોસર મુખ્ય રસ્તાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ઘટનાના પગલે પાટડી વિરમગામ રોડ પર ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. તો બનાવની જાણ થતાં 108 એબ્યુલન્સ તથા પાટડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ મૃતકનું નામ ભરત ત્રિભોવનભાઈ છે. જેઓ પાટડી જેનાબાદ રોડ પર ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પાટડીના જરવલા ગામ પાસે રોડ સાઈડની ઝાડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો લગાવી લીધો હતો.
બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાન તથા પાટડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આધેડના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોતાના સ્વજનનો મૃતદેહ જોઈ તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
મહત્વનું છે કે, ધ્રાંગધ્રા ગામે ફોરેસ્ટ ગાર્ડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં આત્મહત્યાનો બીજો બનાવ બની ગયો. આ ઘટનામાં આધેડની ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકાતા જોઈ લોકો પણ ચોંકી ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
