Homeગુર્જર નગરીઆગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના આ પાંચ દિવસમાં નથી. તેમજ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. તેમજ પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમી ઓછી છે.

doctor plus

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે. તથા પશ્ચિમ તરફથી હવા આવવાથી બફારો રહેશે. અમદાવાદમાં ગરમીનું યેલો એલર્ટ રહેશે. તેમજ અમરેલીમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે અમદાવાદ 41.5 ડિગ્રી, ગાંધીનગર 41.0 ડિગ્રી સાથે રાજકોટ 40.9 ડિગ્રી, પાટણ 40.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરા 40.2 ડિગ્રી, જૂનાગઢ 39.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.

ઉનાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદ રહેતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે. ત્યારે બીજી તરફ વાતાવરણમાં બફારો રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments