Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના આ પાંચ દિવસમાં નથી. તેમજ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. તેમજ પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમી ઓછી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે. તથા પશ્ચિમ તરફથી હવા આવવાથી બફારો રહેશે. અમદાવાદમાં ગરમીનું યેલો એલર્ટ રહેશે. તેમજ અમરેલીમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે અમદાવાદ 41.5 ડિગ્રી, ગાંધીનગર 41.0 ડિગ્રી સાથે રાજકોટ 40.9 ડિગ્રી, પાટણ 40.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરા 40.2 ડિગ્રી, જૂનાગઢ 39.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ઉનાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદ રહેતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે. ત્યારે બીજી તરફ વાતાવરણમાં બફારો રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
