Homeગુર્જર નગરીજૂનાગઢમાં થતા ભેદી ધડાકા પાછળનું રહસ્ય શું છે?

જૂનાગઢમાં થતા ભેદી ધડાકા પાછળનું રહસ્ય શું છે?

Team Chabuk-Gujarat Des: થોડા દિવસ પૂર્વે જૂનાગઢમાં ભૂકંપનો નજીવો આંચકો અનુભવાયો હતો. આંચકાની સાથે એક ભેદી ધડાકો પણ સંભળાયો હતો. હવે જૂનાગઢવાસીઓમાં ચર્ચાએ જન્મ લીધો છે કે આ ભેદી ધડાકા પાછળનું કારણ શું છે? જૂનાગઢના સ્થાનિકોની એવી માગણી છે કે, અવારનવાર થઈ રહેલા ભેદી ધડાકાઓના રહસ્ય ઉપરથી વૈજ્ઞાનિકો પડદો ઉંચકે અને તેમને આ મિસ્ટ્રી પાછળનું સાચું કારણ કહે.

આ મહિનાની 8મી નવેમ્બર 2021ના રોજ બપોરના 2-30 વાગ્યે જ્યારે જૂનાગઢના મોટાભાગના લોકો પોતાના ઘરે અને વ્યવસાયે હતા ત્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાની સાથે એક ભેદી ધડાકાએ પણ કેટલાયના હ્રદયમાં ભયનો સંચાર કરી લીધો હતો. આ ધડાકો 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઈમારતમાં રહેતા લોકો ભયથી કંપી ઉઠ્યા હતા. કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા, તો સોશિયલ મીડિયા પર પણ ભેદી ધડાકાને લઈ વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ ચર્ચાઓ અંતે નુક્તેચીની સુધી પહોંચી હતી.

જૂનાગઢવાસીઓને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે. આ પ્રકારની ઘટના કંઈ પ્રથમ વખત નથી. અગાઉ બે વખત પણ રહસ્યમય ધડાકાએ લોકોને ચિંતામાં ગરકાવ કરી દીધા હતા. હવે લોકો આ રહસ્ય પાછળનું કારણ જાણવા ઈચ્છે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવાવમાં આવ્યું છે કે, આ ભૂકંપ તો નથી જ, પણ ધડાકા શા કારણે થાય છે તે રહસ્ય હજુ અકબંધ છે. એવામાં જૂનાગઢમાં વૈજ્ઞાનિકોની ટીમ આવી આ ધડાકાની પાછનું કારણ જાણી આપે તેવી માગ ઉઠી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments