Homeગુર્જર નગરીકાજલ હિન્દુસ્તાની ફરી ચર્ચામાં, કોણ છે આ કાજલ હિન્દુસ્તાની ? કાજલનું સાચું...

કાજલ હિન્દુસ્તાની ફરી ચર્ચામાં, કોણ છે આ કાજલ હિન્દુસ્તાની ? કાજલનું સાચું નામ શું છે ?

Team Chabuk-Gujarat Desk: પોતાની તેજાબી વાણી અને બેબાક રીતે બોલવાના અંદાજથી કાજલ હિન્દુસ્તાની સતત ચર્ચામાં રહે છે. એટલું જ નહીં આ જ કારણે અવાર-નવાર તેને ધમકી મળતી હોવાનો પણ દાવો છે. હાલ ગીર સોમનાથના ઊનામાં રામ નવમીના દિવસે આપેલા વિવાદીત નિવેદનના કારણે તે ચર્ચામાં છે. તેના નિવેદન બાદ જ ઉનામાં માહોલ તંગ બન્યો હતો. જો કે, હાલ પોલીસે સ્થિતિ પર પોલીસે કાબૂ મેળવી લીધો છે.

મૂળ રાજસ્થાનના સિરોહી ગામે જન્મેલી કાજલે બાર વર્ષની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. બે ભાઇ અને માતા સાથે સંયુક્ત પરિવારમાં તેનો ઉછેર થયો. ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટના વિષય સાથે ગ્રેજયુએટ થઇ. પરિવારનો હોલસેલ અગરબત્તી અને બિસ્કીટનો બિઝનેસ હતો. પરિવારમાં એવું કોઈ રાજનીતિક વાતાવરણ નહોતું, પણ બાળપણથી જ એના ભાઈઓ અને પરિવારના સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતા. એટલે જ સંઘની હિન્દુત્વવાદી વિચારધારાનો રંગ અને બાળપણથી જ લાગેલો હતો.

કાજલ હિન્દુસ્તાનીનું મૂળ નામ કાજલ ત્રિવેદી હતું. વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જવલંત શિંગાળા સાથે કાજલના લગ્ન થયા. ત્યારબાદ તેને પતિની અટક શિંગાળા મળી એટલે તે કાજલ શિંગાળા બની. જો કે, 2016 બાદ તે સોશિયલ મીડિયા પર કાજલ ત્રિવેદી કે શિંગાળા તરીકે નહીં પરંતુ કાજલ હિન્દુસ્તાની તરીકે ઓળખાાવા લાગી છે.

2016માં નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. કથિત રીતે ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા નારા લાગ્યા હતા. આ ઘટના બાદ કાજલે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો. તેણે પોતાના વિચારો રજૂ કર્યા અને લોકો તેની સાથે જોડાતા ગયા. પોતાની વાકછટાના કારણે અઢળક લોકોએ તેને ફોલો કરવાનું શરૂ કર્યું. હાલ ટ્વીટર પર કાજલ હિન્દુસ્તાનીના કુલ પોણા લાખથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુકમાં તેને સાડા ત્રણ લાખથી વધુ લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામમાં પણ તેના 42 લાખથી વધુ ફોલોઅર્સ છે.

એ પછી કાજલે પોતાના વિચારો ફેસબુક પર લખવાનું શરૂ કર્યું. સ્પષ્ટ અને મક્કમતાની સાથે સાથે એના વિચારોમાં ધીમે ધીમે ઝનૂન ઉમેરાતું ગયું. કાજલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાઢ પ્રશંસક પણ બનતી ગઈ અને એમાંથી એની રાજકીય નિસ્બત શરૂ થઈ. સોશિયલ મીડિયા પર એ નરેન્દ્ર મોદીની જબરદસ્ત પ્રશંસક અને સમર્થક તરીકે ઊભરી આવી.
2018માં ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં કાજલ હિન્દુ મહાસભા ઓફ અમેરિકાના આમંત્રણથી અમેરિકા ગઈ હતી . આ બન્ને પ્રવાસ દરમ્યાન કાજલે ન્યુયોર્ક, ન્યુજર્સી, ડલાસ, હ્યુસ્ટન સહિત અનેક સ્થળે પ્રવચનો આપ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments