Homeગુર્જર નગરીમંગળવારે જૂનાગઢના આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો ત્રાહીમામ કેમ પોકારી...

મંગળવારે જૂનાગઢના આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો ત્રાહીમામ કેમ પોકારી ઉઠે છે?

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ પાસે ભલે બધું હોય પણ રોડ રસ્તાની સમસ્યા તો અકબંધ જ છે. ચોમાસાનું આગમન થતાં રોડના પોપડા ઉખડી જાય છે. મગરમચ્છની પીઠ જૂનાગઢના રોડ કરતાં વધારે લીસ્સી હોય અને એશિયાનો સૌથી મોટો રોપવે પણ જૂનાગઢમાં અને ખખડધજ રોડ પણ જૂનાગઢમાં આવી રમૂજો ભૂતકાળમાં વહેતી થઈ હતી.

જૂનાગઢની એક બીજી સમસ્યા નાના રોડની છે. જેના કારણે અવાર નવાર વાહન ચાલકોને હેરાનગતિ વહોરવાનો વારો આવે છે. વાત જાણે એમ છે કે જૂનાગઢના માનવ મહેરાણમથી ધમધમતા ઝાંઝરડા રોડ પર મંગળવારી બજાર ભરાઈ છે. રેકડીઓ તો મોટી સંખ્યામાં ઉમટી જ પડે છે પરંતુ ખરીદનારાઓની પણ ભીડ થાય છે. રોડની નજીક બજાર ભરાતી હોય અડધો રસ્તો રોકી લે છે. એક તો રોડ નાના અને એમાં પણ રસ્તો રોકી લેવાના કારણે વાહન ચાલકોને વાહન કાઢવામાં અગવડતા પડે છે.

અકસ્માત ન સર્જાય જાય એ માટે વાહન ચાલકો ખૂબ કાળજીપૂર્વક ગાડી ચલાવે છે. કોઈ કોઈ વાર તો વાહનોની એટલી ભીડ થઈ જાય છે કે આપણું વાહન ક્યાંથી કાઢવું તેની દ્વિધામાં ચાલક મુંઝાય જાય છે. શાળાઓ અને હોસ્પિટલો પણ મોટી સંખ્યામાં આવેલી હોવાથી તેમને પણ અગવડતા પડે છે. ઉપરથી ભરચક બજારના કારણે સર્જાતા ભરચક ટ્રાફિક જામના કારણે અવાજનું પ્રદૂષણ પણ એટલું જ રહે છે. આડેધડ ભરાતી બજારના કારણે વાહન ચાલકો હેરાનગતિમાં મૂકાયા છે અને આ સમસ્યાનો જલ્દી જ ઉકેલ આવે તેવી માગ ઈચ્છી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments